Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે વધુ 1375 દર્દીઓ સાજા થયા: નવા 1158 પોઝીટીવ કેસ :વધુ 10 લોકોના મોત : કુલ કેસની સંખ્યા 1,53,923 થઇ :મૃત્યુઆંક 3587 થયો:કુલ 1,35,127 લોકોએ કોરોનાને હરાવ્યો

સતત ત્રીજા દિવસે નવા કેસ કરતા સાજા થનારની સંખ્યા વધુ : રાજ્યમાં રિકવરી રેઈટ 88 ટકાથી વધુ : એક્ટિવ કેસની સંખ્યા 15209 : વેન્ટિલેટર પર 82 દર્દી : 15127 દર્દી સ્ટેબલ: આજે કોરોનાના 50,993 ટેસ્ટ કરાયા: જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ  કહેર વર્તાવ્યો છે રોજ બરોજ પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહયો છે ત્યારે આજે સતત ત્રીજા દિવસે નવા કેસ કરતા સાજા થનારની સંખ્યા વધી છે આજે 1375 દર્દીઓ સાજા થયા છે જયારે નવા 1158 પોઝિટિવ કેસ નોંધાયા છે આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 1,53,923 થઇ છે  આજે વધુ 1375 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 1,35,127 દર્દીઓ સાજા થયા છે.રાજ્યમાં આજે વધુ 10 લોકોના મોત થયા છે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3587 થયો છે

 અલબત્ત ત રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકળાઓમાં તફાવત યથાવત રહયો છે આજે પણ સ્થાનિક તંત્રના આંકડા અને રાજ્ય સરકારના આંકડા વચ્ચે રોજે રોજે તફાવત  જોવા મળે છે 

  રાજ્યમાં 1158 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 10 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3587 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 15209 છે જેમાંથી વેન્ટીલેટર પર 82 દર્દીઓ છે જ્યારે 15127 દર્દીની હાલ સ્ટેબલ છે. રાજ્યમાં રિકવરી રેઈટ  88 ટકાથી વધુ છે  રાજ્યમા આજે કોરોનાના 50,993  ટેસ્ટ કરાયા છે

(7:53 pm IST)