Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

સુરત:ફાઇનાન્સરની ઉઘરાણીથી કંટાળી કોસાડના રિક્ષાચાલકે આપઘાત કરતા પોલીસે સ્યુસાઇડ નોટના આધારે શખ્સની ધરપકડ કરી

સુરત:ફાઇનાન્સરની પઠાણી ઉઘરાણીથી કંટાળી કોસાડ આવાસના રીક્ષાચાલકે લીંબાયતના સુમન સંગીત આવાસમાં રહેતા મિત્રના ઘરે ગળે ફાંસો ખાઇ આપઘાત કરવાના પ્રકરણમાં સ્યુસાઇડ નોટના આધારે પોલીસે ફાઇનાન્સર વિરૂધ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ગતરોજ ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના લીંબાયતના સુમન સંગીત આવાસ બિલ્ડીંગ નં. બી ના પહેલા માળે ફ્લેટ નં. 103 માં રહેતા મહેન્દ્રના ઘરે રાત રોકાયેલા તેના મિત્ર અશોક સમાઇરામ યાદવ (ઉ.વ. 38 રહે. બિલ્ડીંગ નં. એચ 4, કોસાડ આવાસ, અમરોલી) એ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. 

ઘટનાની જાણ થતા પહોંચેલી લીંબાયત પોલીસને એક સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં લખ્યું હતું કે `મૈ અશોક કુમાર યાદવ કર્જ કી વજહ સે આત્મહત્યા કરતા હું, ઇસમે જયસુખ કડાવાલા કી વજહ સે પરેશાન કર દીયા હૈ, મુઝે ઔર મેરે પરિવાર વાલો કો મારને કી ધમકી દેતા હૈ, ઘર પર જા કર બચ્ચો કો પરેશાન કરતા હૈ ઔર મે જયસુખ કડાવાલા કી વજહ સે મર રહા હું` જેથી લીંબાયત પોલીસે પઠાણી ઉઘરાણી કરનાર ફાઇનાન્સર જયસુખ કડાવાલા વિરૂધ્ધ સ્યુસાઇડ નોટના આધારે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો.

(6:17 pm IST)