Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

અમદાવાદના સરદારનગરમાં મીઠાઈની દુકાન ધરાવતું વેપારીએ કેનાલમાં પડતું મુકતા કમકમાટીભર્યું મૃત્યુ

અમદાવાદ: શહેરના સરદારનગર વિસ્તારમાં મીઠાઈની દુકાન ધરાવતા અને હાંસોલની સોસાયટીમાં રહેતા વેપારીઅએ ગત ગુરૂવારે ભાટ નજીક કેનાલમાં પડતું મૂક્યા પછી શનિવારે રાત્રે તેની લાશ કલોલના જાસપુર વિસ્તારમાંથી કેનાલમાંથી જડી આવી હતી.

સાંતેજ પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી તેની લાશ મળી આવી હોવાથી ત્યાં કેસ નોંધાયો છે. આ વેપારીએ કીડનીની બીમારીથી ત્રાસીને આત્મહત્યુ કરી હોવાનું પોલીસ રૅકોર્ડમાં લખાવવામાં આવ્યું છે. 

પોલીસ નોંધમાં જણાવવામાં આવ્યું છે કે 11મી ઓક્ટોબરે ગુરૂવારે સાંજે વેપારી સુરેશ પ્રહલાજરાય બલવાણી હાંસોલ ખાતે આવેલા નિલામણી ફ્લેટ ખાતેના તેમના રહેઠાણથી નીકળી ગયા હતા. 54 વર્ષના સુરજ બલવાણી ઘરેથી નીકળીને તેમના વાહનમાં જ હાંસોલ ખાતે કેનાલ સુધી ગયા હતા. કેનાલ પાસે જઈને તેમણે એકાએક જ પડતું મૂક્યું હતું.

(5:50 pm IST)