Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

ગુજરાત સુગમ સંગીતના શિરમૌર ગાયિકા કૌમુદીબહેને પોતાના મધુર સ્વર થકી ગુજરાતી રચનાઓને ઘેર-ઘેર ગુંજતી કરી હતી, તેમનું યોગદાન દીર્ઘકાલીન રહેશેઃ વિજયભાઇ રૂપાણી દ્વારા શ્રદ્ધાંજલી અર્પણ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતી સુગમ સંગીતના સુપ્રસિદ્ધ મૂર્ધન્ય ગાયિકા કૌમૂદીબહેન મૂન્શીના અવસાન અંગે દુ:ખ વ્યકત કરી શોકની લાગણી વ્યકત કરી છે.

સ્વ. કૌમૂદીબહેનને શ્રદ્ધાંજલિ પાઠવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું છે કે ગુજરાતી સુગમ સંગીતના શિરમૌર ગાયિકા કૌમૂદીબહેને પોતાના મધૂર સ્વરથી ગુજરાતી રચનાઓને ઘેર-ઘેર ગૂંજતી કરી હતી. તેમનું આ યોગદાન ગુજરાતી સુગમ સંગીતમાં દીર્ઘકાલિન બની રહેશે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ છે.

મુખ્યમંત્રીશ્રીએ સ્વ. કૌમૂદીબહેનના આત્માની પરમશાંતિની પ્રાર્થના સાથે સદ્દગતના પરિવારજનોને આ દુ:ખ સહન કરવા ઇશ્વર શકિત આપે તેવી પ્રાર્થના પણ કરી છે.

(5:16 pm IST)