Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

સુરતના માંગરોળ વિસ્તારમાં બંધ મકાનમાંથી બળેલી હાલતમાં પરપ્રાંતીયનો મૃતદેહ મળ્યો

જીઆઈડીસીમાં આવેલ કંપનીમાં કરતો હતો નોકરી :હત્યા કે આત્મહત્યા ?:તપાસ શરુ

સુરત :હાલમાં પરપ્રાંતીયનો મામલે ગુજરાતમાંથી મોટા ભાગના પરપ્રાંતીયો ગુજરાત છોડીને ભાગી રહ્યા છે. જ્યારે સુરતના માંગરોળ વિસ્તારમાં આવેલી જીઆઇડીસી વિસ્તારમાંથી એક બંધ મકાનમાંથી બળેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે.

 જાણવા મળ્યા મુજબ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી કંપનીમાં નોકરી કરતો હતો. અને કંપનીની રૂમમાં જ તેનો મૃતદેહ બળેલી હાલતમાં મળ્યો હતો. પોલીસે હત્યા કે આત્મ હત્યા અંગે તપાસનો દૌર શરૂ કર્યો છે. 

(2:02 pm IST)