Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

વલસાડના કોસંબા ગામે દીપડાએ કર્યો વાછરડાનો શિકાર :લોકોમાં ચિંતાનું મોજું : પાંજરું મુકવા માંગ

વલસાડના કોસંબા ગામે અજાણ્યા જાનવરે વાછરડાનો શિકાર કર્યો હતો. વાછરડાના શિકારને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જાનવરના પગના નિશાન જોતા દીપડો હોવાનો પ્રાથમિક અહેવાલ છે.

  ઘટનાને પગલે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી પાંજરું મુકવા વિનંતી કરી હતી. ઘટનાની વાત ગામમાં વાયુ વેગે ફેલાઇ હતી. જેને લઈને મોટી સંખ્યામાં સ્થાનિકો જગ્યા ઉપર એકઠા થઇ ગયા હતા. કાંઠા  વિસ્તારમાં આટલા વર્ષોમાં પેહલીવાર દીપડા જેવા પ્રાણીએ વાછરડાનો શિકાર કર્યો છે. જેથી લોકોમાં ભારે ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

(6:47 pm IST)