Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

રાજપીપળા સ્મશાનને વધુ એક દાનની રકમ ભેટ મળી : વિદેશમાં રહેતા બે વ્યક્તિઓ દ્વારા રૂ.1.51 લાખ નું દાન

રાજપીપળાના વતની અમેરિકામાં રહેતા અસિતભાઈ બક્ષી અને તેમના પરિચિત એક વિદેશી મહિલાએ દાન આપ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સ્મશાન ભૂમિ ના નિર્માણ માટે દાન નો સિલસિલો સતત વહેતો  જોવા મળી રહ્યો છે ત્યારે હાલ વધુ એક દાતા તરફથી સહયોગ મળ્યો છે જેમાં અમેરિકામાં વસતા રાજપીપળાના મૂળ વતની અસીતભાઈ બક્ષી જે શ્રીકૃષ્ણ મિરેકલ હવેલી નામની સંસ્થા ચલાવી રહ્યા છે તેમના દ્વારા રાજપીપળાની સ્મશાન ભૂમિના નિર્માણ માટે ૧૦૧,૦૦૧ રૂપિયા અને અમેરિકામાં વસતા તેમના ફ્રેન્ડ્સ જેઓ મૂળ વિયેતનામના છે છતાં ભારત દેશ માટે ખૂબ લાગણી ધરાવતા હોય તેમને રૂપિયા ૫૦,૦૦૦ નું દાન આપ્યું છે આમ કુલ રૂપિયા ૧,૫૧,૧૦૧ નું દાન રાજપીપળા સ્મશાન ભૂમિ માટે મળ્યું છે,તદઉપરાંત અસિતભાઈ બક્ષી દ્વારા આ સ્મશાનના નિભાવ ખર્ચ માટે એક વર્ષ સુધી દર મહિને રૂપિયા ૭,૫૦૦  આપવામાં આવશે તેમ જાણવા મળ્યું છે

(10:00 pm IST)