Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

રાજ્યમાં કોરોનાના નવા 10.742 કેસ નોંધાયા : વધુ 15.269 દર્દીઓ સ્વસ્થ થયા :વધુ 109 દર્દીઓના મોત :કુલ મૃત્યુઆંક 8840 થયો : કુલ 5,93,666 લોકોએ કોરોનાને હરાવ્યો : આજે વધુ 1,51.772 લોકોનું રસીકરણ કરાયું: સતત આઠમા દિવસે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યા વધુ

અમદાવાદમાં 2942 કેસ,સુરતમાં 1003 કેસ,વડોદરામાં 1111 કેસ,રાજકોટમાં 691 કેસ, જામનગરમાં 474 કેસ, મહેસાણામાં 399 કેસ,જૂનાગઢમાં 582 કેસ, ભાવનગરમાં 330 કેસ, ગાંધીનગરમાં 232 કેસ,અમરેલીમાં 298 કેસ,બનાસકાંઠામાં 259 કેસ, પંચમહાલમાં 223 કેસ,કચ્છમાં 185 કેસ,આણંદમાં 177 કેસ,ભરૂચમાં 173 કેસ, ગીર સોમનાથમાં 171 કેસ, ખેડામાં 162 કેસ, પાટણમાં 147 કેસ,દેવભૂમિ દ્વારકામાં 131 કેસ,સાબરકાંઠામાં 123 કેસ, દાહોદમાં 121 કેસ,મહીસાગરમાં 113 કેસ, વલસાડમાં 107 કેસ, નવસારીમાં 106 કેસ નોંધાયા : હાલમાં 1,22.847 એક્ટિવ કેસ :જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અને છેલ્લા કેટલાય દિવસો બાદ આજે  છેલ્લા કેટલાક દિવસથી નવા કેસની સંખ્યા ઝડપી ઉછાળો જોવાઈ રહ્યો છે , હવે રાજ્યમાં કોરોનાના નવા કેસ રેકોર્ડબ્રેક 10,000ને પાર પહોંચ્યા છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસની સંખ્યા 12,000ને વટાવ્યા બાદ રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો આજે રાજ્યમાં આજે રાજ્યમાં 10.742 નવા કેસ નોંધાયા છે જયારે આજે વધુ 15,269  દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે  આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે

મહારાષ્ટ્રથી આવતા વ્યક્તિઓ માટે કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે આ ઉપરાંત ધનવંતરી રથની સેવાઓને વધુ સુદઢ કરવામાં આવી છે અને ધન્વંતરિ રથની સંખ્યા વધારવામાં આવી છે હવે પહેલી એપ્રિલથી મહારાષ્ટ્ર સહીત દેશના અન્ય રાજ્યોમાંથી આવતા તમામ વ્યક્તિઓનું કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે નેગેટિવ રિપોર્ટ હશે તેને  જ ગુજરાતમાં પ્રવેશ આપવા નિર્ણય કરાયો છે 

  રાજ્યમાં આજે કોરોનાના નવા 10.742 કેસ નોંધાયા છે જયારે વધુ 15,269 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 5,93.666 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી 109 દર્દીઓના મોત થયા છે ,રાજ્યમાં મૃત્યુઆંક 8840  થયો છે,રાજ્યમાં રિકવરી રેટ 81,85 ટકા થયો છે

     રાજ્યમાં હાલ 1,22.847 એક્ટિવ કેસ છે, જેમાંથી 796 લોકો વેન્ટિલેટર પર અને 1,22.051 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 5,93,666 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

 રાજ્યમાં કોરોનાની સારવાર માટે કોવીડ હોસ્પિટલોમાં વધુ 12,000થી વધુ બેડનો વધારો કરવામાં આવ્યો છે જેમાં બેડ અને વેન્ટિલેટર તેમજ આઈસીયુનો પણ સમાવેશ થાય છે

    રાજ્યમાં આજે વધુ 1,51,772 વ્યત્કિઓના રસીકરણ થતા અત્યાર સુધીમાં કુલ 1,47.18.861 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 10.742 કેસમાં અમદાવાદમાં 2942 કેસ,સુરતમાં 1003 કેસ,વડોદરામાં 1111 કેસ,રાજકોટમાં 691 કેસ, જામનગરમાં 474 કેસ, મહેસાણામાં 399 કેસ,જૂનાગઢમાં 582 કેસ, ભાવનગરમાં 330 કેસ, ગાંધીનગરમાં 232 કેસ,અમરેલીમાં 298 કેસ,બનાસકાંઠામાં 259 કેસ, પંચમહાલમાં 223 કેસ,કચ્છમાં 185 કેસ,આણંદમાં 177 કેસ,ભરૂચમાં 173 કેસ, ગીર સોમનાથમાં 171 કેસ, ખેડામાં 162 કેસ, પાટણમાં 147 કેસ,દેવભૂમિ દ્વારકામાં 131 કેસ,સાબરકાંઠામાં 123 કેસ, દાહોદમાં 121 કેસ,મહીસાગરમાં 113 કેસ, વલસાડમાં 107 કેસ, નવસારીમાં 106 કેસ નોંધાયા છે

(7:48 pm IST)