Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

રાજપીપળા નગરપાલીકાના વોર્ડ નં.૭ ના સદસ્યોએ રસ્તાના કામ બાબતે સી.ઓ.ને કરી લેખિત રજુઆત

છત્રવિલાસ અને નીઝામશાહ દરગાહનો રસ્તો બિસ્માર હાલતમાં હોય કામ કરાવવા રજુઆત કરાઈ

રાજપીપળા:રાજપીપળા નગરપાલિકા હાલ વેરા વધારે મુદ્દે ચર્ચામાં રહેલી છે. એક તરફ માથે કરોડોનું દેવું છે ઉપરાંત કેટલાક જરૂરી કામો,કર્મચારીઓના પગારો સહિતની અનેક સમસ્યાઓ સામે પડકારરૂપ ઉભી છે ત્યારે આજરોજ પાલિકાના મુખ્ય અધિકારી જયેશ પટેલને વોર્ડ નં.૭ના સદસ્ય કિંજલબેન તડવી તથા પ્રતિક્ષાબેન પટેલએ તેમના વોર્ડમાં આવતા છત્ર વિલાસ અને નીઝામ શાહ દરગાહનો માર્ગ તદ્દન બિસ્માર હાલતમાં હોય તેની મરામત કરાવવા લેખિત રજુઆત કરી સાથે આ બાબતને ગભીરતાથી લઈને રસ્તાનું કામ ઝડપથી ચાલુ કરાવી ઝડપથી પૂર્ણ થાય તેવી વિનંતી કરી હતી

 પાલિકાના ચીફ ઓફિસર જયેશ પટેલે આ બાબતે જણાવ્યું હતું કે વોર્ડ નં.૭ ના સભ્યોની રજુઆત મારી પાસે આવી છે. જેમાં કામ નક્કી કરવા ધ્યાને મુકવામાં આવશે.

(6:26 pm IST)