Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં શ્રમિકોના ટોળા એકઠા ઉમટ્યા

મેદાનના 1600થી વધુ શ્રમિકો પોતાના માદરે વતન જવા એકઠા થયા

અમદાવાદ : વતન જવાની તીવ્ર ચાહ સાથે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં શ્રમિકોના ટોળા એકઠા થયા હતા. ઓઢવના અર્બુદા નગર પાસે આવેલા એક મેદાનના 1600થી વધુ શ્રમિકો પોતાના માદરે વતન જવા એકઠા થયા છે. વહીવટી તંત્ર દ્વારા આ શ્રમિકોને તેમના વતન ઉત્તરપ્રદેશ મોકલવાની વ્યવસ્થા કરાઇ છે

(1:46 pm IST)