Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

પેટલાદના ફાંગણીમાં બંધ મકાનના નકુચા તોડી તસ્કરોએ 3.27 લાખની મતાની ચોરીને અંજામ આપ્યો

પેટલાદ:તાલુકાના ફાંગણી ગામે આવેલા પટેલ ફળિયામાં ત્રાટકેલા તસ્કરોએ એક બંધ મકાનન નિશાન બનાવીને નકુચા તોડી અંદર પ્રવેશ કરીને ૩.૨૭ લાખની મત્તાના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે પેટલાદ શહેર પોલીસે ચોરીનો ગુનો દાખલ કરીને ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે. 

ચોરીની મળતી વિગતો અનુસાર ફાંગણી ગામના પટેલ ફળિયામાં રહેતા શશીકાન્તભાઈ શનાભાઈ પટેલ ગત ૮મી તારીખના રોજ પત્ની સાથે નાસિક-શીરડી પ્રવાસમાં ગયા હતા. તેમનો પુત્ર જીત મોસાળ સંતોકપુરા ગયો હતો. દરમ્યાન કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને બંધ મકાનના દરવાજાના નકુચા તોડીને અંદર પ્રવેશ કરી બેડરૂમમાં બનાવેલા કબાટના ડ્રોવરો ખોલી નાંખીને અંદર મુકેલા સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળીને કુલ ૩.૨૭ લાખની મત્તાની ચોરી કરીન ફરાર થઈ ગયા હતા. 

(5:46 pm IST)