Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

આણંદ નજીક વઘાસીમાં વહેલી સવારે કાર પલ્ટી મારતા ચકલાસીનો યુવાન મોતને ભેટ્યો

આણંદ: નજીક આવેલા વઘાસી પાસે આજે વહેલી સવારના સુમારે ઝાયલો કાર પલટી જઈને ગટરમાં ઉતરી પડતાં ચકલાસીના યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ જ્યારે ચાલકને ઈજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે આણંદ રૂરલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.
મળતી વિગતો અનુસાર ચીખોદરા ગામના ગમોટપુરા ખાતે રહેતા અજયભાઈ કનુભાઈ પરમાર તથા ચકલાસી કૈવલનગર ખાતે રહેતા વિજયભાઈ પ્રભાતભાઈ વાઘેલા (ઉ. વ. ૩૨)ગઈકાલે રાત્રીના સુમારે ઝાયલો કાર લઈને અગાસ ગામે ગયા હતા ત્યાથી વહેલી સવારના સુમારે પરત ફરી રહ્યા હતા ત્યારે પાંચ વાગ્યાના સુમારે વઘાસી પાસે ચાલકને ઝોકું આવી જતાં કાર પલટી મારીને ગટરમાં ઉતરી પડી હતી જેમાં વિજયભાઈને માથામાં તથા મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત થયું હતુ.

 

(7:43 pm IST)