Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

વધઈ -સાપુતારા હાઇવે પર આંબાપાડા નજીક રાજકોટ અને ભાવનગરની બસને નડ્યો અકસ્માત :ત્રણ લોકોના કરૂણમોત

એસટીબસના રક એન્ડ લકઝરી બસના બે લોકોના મોત ;પાંચને ગંભીર ઇજા

 

ડાંગ જિલ્લાનાં વઘઇથી સાપુતારાને સાંકળતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં આંબાપાડા ગામ નજીકનાં યુટર્ન વળાંકમાં એસટી બસ અને ખાનગી લકઝરી બસ વચ્ચે ગમખ્વાર ગોઝારો અકસ્માત થતા એસટી બસનાં બે મુસાફરો અને ખાનગી લકઝરી બસનો એક મુસાફર મળી કુલ ત્રણ વ્યક્તિઓનાં મોત નિપજ્યા છે જયારે પાંચને ગંભીર ઈજાઓ પોહચતા વધુ સારવાર માટે વલસાડ સિવિલમાં રીફર કરાયા હતા.

  મળતી વિગત મુજબ વઘઇ થી સાપુતારાને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં આંબાપાડા ગામ નજીક મંગળવારે મોડી રાત્રે ભાવનગરથી શિર્ડી જતી  એસટી બસ..જી.જે.18.3126ને શિર્ડીથી રાજકોટ જતી ખાનગી લકઝરી બસ..જી.જે.03.બી.ડબલ્યુ.8080નાં ચાલકે  અથડાવી દેતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો ઘટનામાં બન્ને બસનાં મુસાફરોની ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું.

(12:36 am IST)