Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

આણંદ નજીક રાવળાપુરામાં પુરપાટ ઝડપે જતી કારે આધેડને હડફેટે લેતા ઘટનાસ્થળેજ મોત

આણંદ: નજીક આવેલા રાવળાપુરા ગામે ગઈકાલે સાંજના સુમારે પુરપાટ ઝડપે જતી એક ક્રીયેટા કારે આણંદના આધેડને ટક્કર મારતાં તેમનું સ્થળ પર જ અવસાન થયુ હતુ આ અંગે ટક્કર મારીને કાર બિનવારસી છોડીને ફરાર થઈ ગયેલા ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 

મળતી વિગતો અનુસાર આણંદની ગોપી ટોકિઝ સામે આવેલી ઈન્દિરાનગરીમાં રહેતા સીરીજમીંયા ગુલામરસુલ મલેક (ઉ. વ. ૪૯)ગોપી ટોકિઝમાં સીક્યુરીટી ગાર્ડ્સ તરીકે નોકરી કરે છે. ગઈકાલે સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે તેઓ શેઠ મહેન્દ્રભાઈના રાવળાપુરા ગામે આવેલા ફાર્મ હાઉસ ઉપર ગયા હતા. જ્યાં ચાલતા જતા હતા ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી ચઢેલી ક્રીયેટા કાર નંબર જીજે-૨૩, સીએ-૯૭૦૭એ પાછળથી ટક્કર મારતાં તેમને માથામાં તથા શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ થતાં સ્થળ પર જ મોત થયું હતુ .ઘટનાની જાણ થતાં જ આણંદ રૂરલ પોલીસ આવી ચઢી હતી અને મૃતકની લાશને પીએમ માટે બોરીયાવીની સરકારી હોસ્પીટલ ખાતે મોકલી આપી હતી. 

(5:29 pm IST)