Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

જહાંગીરપુરા-વઘાસી રોડ પર બોલેરોએ બાઇકને હડફેટે લેતા ચાલકનું સારવાર દરમ્યાન મોત

જહાંગીરપુરા:જહાંગીરપુરા-વઘાસી રોડ ઉપર પુરપાટ ઝડપે જતી એક બોલેરો પીકઅપ કારે બાઈકને ટક્કર મારતાં ઘવાયેલા ચાલકનું અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતુ. આ અંગે આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. 

અકસ્માતની મળતી વિગતો અનુસાર જહાંગીરપુરા ખાતે રહેતો વિજયભાઈ ગોહેલ (ઉ. વ. ૨૨)ગત ૭મી તારીખના રોજ બપોરના સુમારે પોતાનું બાઈક નંબર જીજે-૨૩, એઆર-૯૬૦૪નું લઈને આણંદ આવવા નીકળ્યો હતો. પોણા એક વાગ્યાના સુમારે જહાંગીરપુરા-વઘાસી રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલી બોલેરો પીકઅપ ગાડી નંબર જીજે-૨૩, વાય-૫૨૮૮એ ટક્કર મારતાં તેને માથામાં તથા શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ થવા પામી હતી જેથી તેને ૧૦૮માં કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જતાં ત્યાં અવસાન થયું હતુ. 

 

(5:28 pm IST)