Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

અમદાવાદના સૈજપુરમાં રાત્રીના સમયે તસ્કરોએ રહેવાસીઓના ઘરમાંથી 5 મોબાઈલની ઉઠાંતરી કરી

અમદાવાદ: શહેરના સૈજપુરમાં ઘરની બહાર ઉંઘી રહેલા રહેવાસીઓના પાંચ મોબાઈલ અને ૨૧ હજાર રોકડાની ચોરી કરી ગયો હતો. આ અંગે શહેરકોટડા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ સૈજપુરમાં પાટીયાનગર વિસ્તારમાં રહેતા રહેવાસીઓ પોતાના ઘરની બહાર ઓસરીમાં ઉંઘી રહ્યા હતા.દરમિયાન અહીં રહેતા રાજેશકુમાર એલ.રાઠોડે ૧૧ માર્ચના રોજ સવારે ઉઠીને જોયું તો તેનો મોબાઈલ ગુમ હતો. ઘરમાં તપાસ કરતા તેના અને તેના ભાઈના ઘરમા લટકાવેલા પેન્ટમાંથી બે મોબાઈલ તથા રૃ.૨૧,૦૦૦ ગુમ હતા. 

(5:19 pm IST)