Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

બનાસકાંઠામાં બોર્ડની પરીક્ષામાં શાળાનું અેડ્રેસ ખોટુ લખતા ૨પ વિદ્યાર્થીઓ રઝળી પડ્યા

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે છબરડો મારતા બનાસકાંઠાના પાલનપુરમાં આશરે 25 જેટલા વિદ્યાર્થીઓ રઝળી પડ્યા હતા. રિસીપ્ટમાં પાલનપુર અને દાંતાના એડ્રેસ લખતા વિદ્યાર્થીઓ રઝળ્યા હતા. દાંતામાં એડ્રેસ ન મળતા પાલનપુર આવતા સમય મર્યાદા પુરી થતા વિદ્યાર્થીઓ રઝળી પડ્યા હતા. જેથી વિદ્યાર્થીઓ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ પહોંચ્યા હતા. આ છબરડાને કારણે 25 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહ્યા છે. આ વિદ્યાર્થીઓની ફરીથી પરીક્ષા લેવાશે તેવું જનસંપર્ક અધિકારીએ આશ્વાસન આપ્યું છે. રાજ્ય સચિવે વિદ્યાર્થીઓની રિસીપ્ટ મંગાવી છે.

(9:44 am IST)