Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

અમદાવાદના ચાંદખેડામાં યુવતીએ પ્રેમલગ્ન કરી લેતા ઉશ્કેરાયેલ પિતાનો તલવારથી હુમલો

અમદાવાદ: ચાંદખેડામાં રહેતી યુવતીએ પ્રેમલગ્ન કરી લેતા ઉશ્કેરાયેલા તેના પિતા અને દાદાએ યુવતીના પતિ અને મિત્ર પર તલવારથી હુમલો કર્યો હતો. જેમાં બન્નેને ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. પત્નિને તેના પરિવારજનો મારઝુડ કરતા હોવાની જાણ થતા પતિ તેના મિત્ર સાથે છોડાવવા ગયો હતો. અંગે ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને બન્ને આરોપીની ધરપકડ કરી હતી.

બનાવની વિગત મુજબ સાબરમતીમાં જવાહર ચોક, સુંદરમ્ રોપ્લેક્ષમાં રહતો સુરેન્દરસિંગ બલવિંદરસિંઘ ભટી (૨૭) ઓઢવમાં તેના બનેવીની ચાઈનીઝ લારી પર કામ કરે છે. છેલ્લા એક વર્ષથી સુરેન્દરસિંઘને ચાંદખેડા ગાયત્રીનગર ગુ.હા.બોર્ડ ખાતે રહેતી મનીષા ભરતકુમાર તુશાવડા સાથે પ્રેમસંબંધ હતો. જેમાં તેમણે ફેબુ્રઆરી ૨૦૧૮ના રોજ ઘીકાંટા કોર્ટમાં પ્રેમલગ્ન કરી લીધા હતા. લગ્મ બાદ મનીષા તેના ઘરે રહેતી હતી અને પતિ સાથે ફોન પર સંપર્કમાં રહેતી હતી. સુરેન્દરના ઘરના સભ્યો મનીષાને સ્વીકારવા તૈયાર હતા. તેમણે મનીષાના સંબંધીઓને રિતીરિવાજ મુજબ બન્નેના લગ્ન કરાવીએ ઓવો સંદેશો મોકલ્યો હતો. પરંતું તેઓ તૈયાર થયા હતા અને મનીષાને ઘરમાંથી હાર જાવનું બંધ કરી દીધું હતું.

 

 

(5:05 pm IST)