Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

મોડાસાની પીડિતાના મોત મામલોઃ પીઆઇ એન,કે ,રબારીની ઇસરી પોલીસ સ્ટેશનમાં બદલી કરી દેવાઈ

યુવતીના મોત મામલે બેદરકારીના આક્ષેપ મામલે કાર્યવાહી

મોડાસા ટાઉન PI એન.કે રબારીની બદલી કરી દેવામાં આવી છે. વિવાદમાં સપડાયેલા એન.કે રબારીની ઇસરી પોલીસ સ્ટેશન ખાતે બદલી કરી દેવાઈ છે.

યુવતીના મોત મામલે બેદરકારીના આક્ષેપ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. યુવતીના પરિવારે PI એન.કે રબારીની પર આક્ષેપ લગાવ્યા હતા. ત્રણ આરોપીની મોડાસા પોલીસે ધરપકડ કરી હતી. મોડાસાની પીડિતાના ત્રણ આરોપી બિમલ ભરવાડ, દર્શન ભરવાડ અને જીગર પરમાર મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશને હાજર થયા હતા. જ્યારે આરોપી સતીશ ભરવાડ હાલ પણ ફરાર છે. પોલીસે એક આરોપીને પકડવા બે ટીમો બનાવી છે.

તપાસ કરનાર અધિકારી DySP એસ.એસ.ગઢવીએ જણાવ્યું હતું કે, આરોપીઓની ધરપકડ બાદ આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે. આરોપીઓનુ મેડિકલ કરાવવામાં આવશે. સાયન્ટિફિક પુરાવા એકત્રિત કરવા મેડિકલ કરાશે. કોર્ટમાં રજુ કરી પોલીસ રિમાન્ડની માંગણી કરશે. આરોપી અને ભોગ બનનાર વચ્ચે સંબંધની તપાસ કરાશે.

(8:42 am IST)