Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

રાજ્યમાં કોરોનાના વધુ 1,338 દર્દીઓ સ્વસ્થ થયા: નવા 1204 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 12 લોકોના મોત :મૃત્યુઆંક 4160 થયો : કુલ 2,08,867 લોકોએ કોરોનાને મ્હાત આપી : કુલ કેસનો આંક 2,26,508 થયો

રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 260 કેસ,સુરતમાં 178 કેસ,વડોદરામાં 157 કેસ,રાજકોટમાં 126 કેસ, ગાંધીનગરમાં 56 કેસ,જામનગરમાં 49 કેસ, મહેસાણામાં 43 કેસ,કચ્છમાં 33 કેસ,દાહોદ અને ભાવનગરમાં 29-29 કેસ , જૂનાગઢમાં 27 કેસ,નોંધાયા

અમદાવાદ : અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થયાની સાથે રાજ્યમાં કોરોનાના નવા કેસમાં ઝડપી વધારો થઇ રહયો છે, દિવાળી પહેલા કોરોના વાયરસ ધીમો પડયો  હતો નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી અચાનક નવા કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આજે રાજ્યમાં આજે 1,204 નવા કેસ નોંધાતા ભારે ચિતાની લાગણી પ્રસરી છે  જોકે આજે વધુ 1,338 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 1204 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 1338 દર્દીઓ સ્વસ્થ થયા છે રાજ્યમાં કોરોના કેસનો કુલ કેસની સંખ્યા 2,28,867 થઇ છે જયારે આજે વધુ 1338 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 2,08,867 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં વધુ 12 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4160 થયો છે  રાજ્યમાં રિકવરી રેટ 92,21 થયો છે

  રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 13,481 છે, જેમાંથી વેન્ટીલેટર પર 68 દર્દીઓ છે જ્યારે 13,413 દર્દીની હાલ સ્ટેબલ છે.  છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 60,423 ટેસ્ટ થયા હતા અત્યાર સુધીમાં 86,13,587 ટેસ્ટ કરવામાં આવ્યા છે

  રાજ્યમાં આજે કોરોનાથી કુલ 12 લોકોના મોત થયા છે અમદાવાદ કોર્પોરેશનમાં 5.સુરત કોર્પોરેશનમાં 2,આણંદમાં 1,મહેસાણામાં 1,નવસારીમાં 1,રાજકોટ કોપોરેશનમાં 1, અને વડોદરામાં 1 મળીને કુલ 12  લોકોના મોત થયા છે

 રાજ્યમાં આજે નોંધાયેલા 1204 નવા કેસમા સૌથી વધુ અમદાવાદમાં 260 કેસ,સુરતમાં 178 કેસ,વડોદરામાં 157 કેસ,રાજકોટમાં 126 કેસ, ગાંધીનગરમાં 56 કેસ,જામનગરમાં 49 કેસ, મહેસાણામાં 43  કેસ,કચ્છમાં 33 કેસ,દાહોદ અને ભાવનગરમાં 29-29 કેસ , જૂનાગઢમાં 27 કેસ,નોંધાયા છે

(7:41 pm IST)