Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

અમીરગઢ પાલનપુર હાઇવે પર ઈકબાલગઢ પાસે અજાણ્ય વાહનની અડફેટે બાઈકચાલકનું કરૂણમોત

અકસ્માત બાદ ટ્રક ચાલાક ફરાર : મરંનારની લાશનું પંચનામું કરી પી એમ માટે અમીરગઢ સામુહિક આરોગ્ય કેન્દ્ર માં લઇ જવાયો

અમીરગઢ પાલનપુર હાઇવે પર ઈકબાલગઢ પાસે રોડ પર આવતા બાઈકને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતા બાઈક ચાલકનું કરૂણમોત મોત થયેલ છે

 અમીરગઢ પાસેથી પસાર થતા નેશનલ હાઇવે ૩૭ પર અકસ્માત થવાનો સિલસિલો યથાવત રહેતા ફરી ઈકબાલગઢ હાઇવે પર આવેલ પાણીની ટાંકી પાસેથી  દિનેશભાઇ ભૂતભાઈ ખરાડી (રહે અજાપુર વાંકા તા અમીરગઢ) પસાર થઇ રહ્યા હતા ત્યારે પાછળથી આવતા ટ્રકના ચાલકે પોતાનું ટ્રક પુરઝડપે હંકારતા બાઈક ને જોરદાર ટક્કર મારતા બાઈક રોડ ની સાઈડમાં ફંગોળાઈ ગઈ હતી અને તેનો ચાલક રોડ પર પટકાતા ઈજાઓ થતા મોતને ભેટ્યો હતો જ્યારે અકસ્માત કરનાર ટ્રક ચાલક ભાગી જવામાં સફળ થયો હતો અકસ્માત થતા રોડ પર ટ્રાફિક થતા પોલીસ અને એલ એન્ડ ટી ના સ્ટાફે ટ્રાફિકને અંકુશમાં લેવાના પ્રયાસો કર્યા હતા અને મરંનારની લાશનું પંચનામું કરી પી એમ માટે અમીરગઢ સામુહિક આરોગ્ય કેન્દ્ર માં લઇ જવામાં આવેલ હતી.

(1:20 pm IST)