Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

વડોદરામાં ઘડિયાળની અનેક દુકાનો બંધ થઇ

મોબાઈલ ફોનનું ચલણ વધવાથી કાંડા ઘડિયાળનું મહત્વ ઘટયું

મોટાં શહેરોમા ફકત શોખ અને ફેશન માટે કાંડા ઘડિયાળ પહેરવામાં આવે છેઃ અમુક લોકો આદતને લીધે બાંધે છે

વડોદરા, તા.૧૨: મોબાઇલ અને ખાસ તો સ્માર્ટ ફોન હવે દરેક લોકોના ખિસ્સામાં આવી ગયા છે એ કારણે કાંડા ઘડિયાળનું મહત્વ સાવ ઘટી ગયું છે. મોટાં શહેરોમાર્ફકત શોખ અને ફેશન માટે કાંડા ઘડિયાળ પહેરવામાં આવે છે. અમુક લોકો આદતને લીધે બાંધે છે. જોકે એકંદરે વપરાશ ઘટી જતા વડોદરા શહેરમાં પચ્ચાસ ટકા જેટલી દુકાનો બંધ થઇ ગઇ હોવાનો અંદાજ છે.' હવે જે દુકાનો ચાલુ છે તે રિપેરીંગ અને નવી બેટરી નાંખવા માટે છે. પચાસ વર્ષથી ઘડિયાળના ધંધા સાથે સંકળાયેલા હાતીમભાઈ રાજકોટવાળાએ કહ્યું કે, હવે બ્રાન્ડેડ ઘડિયાળોના શોરુમો ચાલે છે. મધ્યમ વર્ગ નાની દુકાનોમાંથી ખરીદી લે છે.

અત્યારે મોટાભાગના લોકોએ ઘડિયાળની દુકાનો બંધ કરીને મોબાઈલ વેચાણ અને રીપેરીંગ, રેડીમેડ' કપડાના ધંધામાં ઝંપલાવ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતુ. તેમના મતે ઘડિયાળના ધંધામાં વેચાણ કરતા રીપેરીંગનો ધંધો સારો ચાલે છે. જેમાં ખાસ તો નવા સેલ (બેટરી) નંખાવવા આવનારો વર્ગ ઝાઝો હોય છે. ઘણા કારીગરો મોબાઇલ પણ રીપેર કરવા લાગ્યા છે. વડોદરામાં ઘડિયાળની મોટા ભાગની દુકાનો બંધ થઈ ગઈ છે. પરંતુ ઘડિયાળની સ્ટાન્ડર્ડ દુકાનો કે કંપનીના શો રુમ પોશ એરિયામાં ચાલે છે. વારસામાં મળેલો ઘડિયાળનો ધંધો હવે નવી પેઢી કરવા તૈયાર નથી. કારીગરો પણ એ કારણે ઘટતા જાય છે.

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, કાંડા ઘડિયાળમાં સ્ટાન્ડર્ડ અને ચીન એમ બે કવોલિટી આવેછે. ચાઇનીઝ ઘડિયાળો ઓછાં આયુષ્યની હોય છે એટલે ખાસ વર્ગ જ પહેરે છે. બ્રાન્ડેડ અને સ્ટાન્ડર્ડ ઘડિયાળ પહેરનાર વર્ગ બિઝનેસમેન છે. આમ રોડસાઇડ ફેરિયા, નાની દુકાનો અને શો રુમો વચ્ચે કાંડા ઘડિયાળનો ધંધો વહેંચાયેલો છે.

ઘડિયાળના એક વેપારી કહે છે, લોકડાઉન પહેલાની સ્થિતિ સારી હતી. જોકે એ પછી દુકાનો બંધ રહેતા આર્થિક સંકડામણ થવા લાગી છે. હવે ઘડિયાળના ધંધાનું રોકાણ બીજા ધંધામાં ટ્રાન્સફર કરી' નાંખ્યું છે. ચીનની સસ્તી આયાત ચાલુ છે ત્યાં સુધી લોકલ ઉત્પાદનોઓછાં ચાલશે તેમ તેમણે ઉમેર્યું હતુ.

(9:59 am IST)