Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

ડેડીયાપાડામાં એક અઠવાડિયાથી એક પણ કોરોના પોઝેટિવ કેસ ન જણાતા તાલુકા માટે રાહતના સમાચાર

(ભરત શાહ દ્વારા) નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ ના એપેડમિક અધિકારી ડો.કશ્યપે આપેલા આજના કોરોના આંકડા મુજબ નર્મદા જિલ્લાના પછાત એવા ડેડીયાપાડા, સાગબારા તાલુકામાં કોરોના સંક્રમણ 7 દિવસથી નહિવત છે જેમાં ખાસ તો છેલ્લા 7 દિવસ થી ડેડીયાપાડા તાલુકામાં એકપણ કોરોના પોજેટિવ કેસ નોંધાયો નથી ત્યારે આ બાબત ડેડીયાપાડા તાલુકા માટે રાહતની કહી શકાય.
 જોકે આજે રાજપીપળા અને નાંદોદ તાલુકામાં પણ કોરોનાનો આંક જીરો છે એ બાબત નર્મદા જિલ્લા માટે સારા રાહતની કહી શકાય. આમ તો ઘણા દિવસોથી કેસ વધતા જોવા મળતા આરોગ્ય વિભાગ સતત દોડતું થયું હતું એ પણ હાલ આ બાબતે રાહત અનુભવી રહ્યું છે.

(10:34 pm IST)