Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

નર્મદા જિલ્લામાં આજે માત્ર 1 જ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા : કુલ આંક 1648 પર પોંહોચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો. આર. એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શુક્રવારે ફક્ત 1  કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં ગરુડેશ્વરના કેવડીયા-01 જ્યારે રાજપીપળા,નાંદોદ, તિલકવાડા, ડેડીયાપાડા અને સાગબારા તાલુકાઓમાં આજે એક પણ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયો નથી એ એક રીતે સારી બાબત કહી શકાય.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 12 દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં 16 દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશન માં 38 દર્દી દાખલ છે.આજરોજ 08 દર્દી સાજા થતા તેમને રજા અપાઈ છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ 1567 દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક 1648 પર પહોચ્યો છે.આજે વધુ 269 સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:33 pm IST)