Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

સુરતમાં નાના વરાછા રોડ પર ખાનગી બસચાલકે અડફેટે લેતા બાઈકસવારનું ઘટનાસ્થળ પર જ મોત

  સુરતના નાના વરાછા સીમાડા બ્રિજ પાસે જય ખોડીયાર ટ્રાવેલ્સના એક બસ ચાલકે [GJ-05-BT-6464 ] બાઈક સવાર પ્રવીણભાઈ નારણભાઇ ફીણવીયા ચાલકને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં બાઈકચાલકને ગંભીર ઈજા થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

 સાંજે બનેલી આ અકસ્માતની ઘટનાને પગલે આસપાસ લોકટોળું એકત્ર થઇ ગયું હતું. બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મૃતક બાઈકચાલકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત સર્જનારા બસચાલક સામે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. 

    અવારનવાર લક્ઝરી બસોના કારણે અકસ્માતનો બનાવ બને છે, ત્યારે આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અહી અવારનવાર લક્ઝરી બસોના કારણે અકસ્માતનો બનાવ બને છે. આ ઉપરાંત ટ્રાફિક જામની સમસ્યા રહે છે. જેથી આ અંગે પોલીસ કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે

(8:48 pm IST)