Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

અમિતભાઇ શાહ એનડીએના સંયોજક બને તેવી ચર્ચા

શિયાળુસત્ર દરમિયાન નિર્ણય લેવાય તેવી શકાયતા :લાલકૃષ્ણ અડવાણીને પોતાનો રૂમ ખાલી કરવો પડી શકે છે.

અમદાવાદ :ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિતભાઈ  શાહ એનડીએના સંયોજક બની શકે તેવી ચર્ચા જાગી છે આગામી 15 ડિસેમ્બરથી શરૂ થઇ રહેલા સંસદના શિયાળુ સત્ર દરમિયાન એનડીએ સંસદીય દળ કે જેના નેતા વડાપ્રધાન મોદી છે તેઓ અંગે નિર્ણય લઇ શકે છે. નિર્ણય થયા બાદ સંસદમાં લાલકૃષ્ણ અડવાણીને પોતાનો રૂમ ખાલી કરવો પડી શકે છે.

   એવું ચર્ચાઈ રહયું છે કે અમિતભાઇ શાહનું એનડીએના સંયોજક બનવાનું લગભગ નક્કી મનાઇ રહ્યું છે તેવામાં હાલમાં એલ.કે.અડવાણી એનડીએ અથવા ભાજપમાં કોઇ પદ પર નથી તેથી એનડીએ સંયોજક માટે ફાળવાયેલો રૂમ તેમને ખાલી કરવો પડી શકે છે.

(11:15 pm IST)