-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Thursday, 12th November 2020
શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રણછોડજી મંદિરમાં દર્શન કરી ભગવાનના આશીર્વાદ મેળવ્યા
સરકારની કામગીરી, પાર્ટીનું સંગઠન અને ભગવાનના આશીર્વાદથી વિજય મળ્યો: શિક્ષણમંત્રી
ખેડાઃ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની મુલાકાત લીધી હતી. શિક્ષણ પ્રધાન ડાકોર આવી ભગવાન રણછોડરાયજી મંદિરે પહોંચી ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવવા હતા. આ સાથે જ તેમણે ગુજરાત, બિહાર અને મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના થયેલા ભવ્ય વિજય બદલ ભગવાન રણછોડરાયજીનો આભાર માન્યો હતો. આ ઉપરાંત દિવાળી પછી રાજ્યમાં શાળાઓ શરૂ થવા જઈ રહી છે, જે માટે પણ તેમણે ભગવાનને પ્રાર્થના કરી હતી.
શિક્ષણ પ્રધાને ભાજપને વિજય મળ્યો છે તે માટે સરકારની કામગીરી, પાર્ટીનું સંગઠન અને ભગવાનના આશીર્વાદથી વિજય મળ્યો છે. જેથી શિક્ષણ પ્રધાને ભગવાન રણછોડરાયજીનો આભાર માનવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણ પ્રધાન સાથે ડાકોરના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
(9:44 am IST)