Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

અમદાવાદના શાહીબાગમાં ગરબા જોવાની તકરારમાં નિલેશ પરમારની છરીના ઝીકી સરાજાહેર હત્યા :બે આરોપીઓ ઝબ્બે

સામાન્ય બોલાચાલી જીવલેણ બની :આરોપી બકુલ વાઘેલા અને પ્રકાશ ઉર્ફે રાજા પરમારની ધરપકડ

અમદાવાદ: શાહીબાગમાં ગરબા જોવાની તકરારમાં બે આરોપીઓએ છરીના ઘા મારીને નિલેશ પરમાર નામના યુવકની સરા જાહેરમાં હત્યા કરી નાખી છે.પોલીસે હત્યાના ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરી છે. 

 આ અંગે મળતી વિગત મુજબ ડેકોરેશનનો ધંધો કરતો નિલેશ પરમાર જે મનુભાઈની ચાલી નજીક રહે છે  8 નવેમ્બરે  ગિરધર નજીક શાંતિ પુરા મનુભાઈની ચાલી નજીક રાતે ગરબા જોવાની બાબતે આરોપીઓ પ્રકાશ ઉર્ફે રાજા પરમાર અને બકુલ વાધેલા સાથે માથાકૂટ થતા બન્ને આરોપીઓ નિલેશ પર છરીના ઘા મારતા નિલેષનું સારવાર દરમ્યાન મોત થયું હતું.

   સામાન્ય બોલાચાલીમાં આરોપીઓ એક યુવક માટે જીવલેણ બની હતી પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ કરતા બે આરોપીઓને પોલીસે ઝડપીને પુછપરછ કરતા આરોપી પ્રકાશ ઉર્ફે રાજા ગુનાહિત ઇતિયાસ ધરાવતો હોવાનું સામે આવ્યું હતું. પ્રકાશ મારામારી અને પોકશો જેવા ગંભીર ગુના આચરી ચુક્યો છે.

(10:48 pm IST)