Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

અમદાવાદના વસ્ત્રાપુરમાં કલ્યાણ પુષ્ટીની હવેલીમાં ગોવર્ધન પૂજા

દ્વારકેશલાલજી મહારાજના સાનિધ્યમાં ગોવર્ધન પર્વતના મુખારવિંદની પૂજા કરી દિવ્ય ઉત્સવની ઉજવણી

અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી કલ્યાણ પુષ્ટીની હવેલીમાં ગોવર્ધન પૂજાનું આયોજન કરવામાં આવ્યુ. ભગવાન શ્રી કૃષ્ણએ વ્રજવાસીઓને ઈન્દ્રના ક્રોધથી બચાવવા માટે સાત દિવસ સુધી પોતાની ટચલી આગળી પર ગોવર્ધન પર્વતને ઉપાડ્યો હતો. આ દિવસની યાદગીરી રૂપે કલ્યાણપુષ્ઠી હવેલી ખાતે ગોવર્ધન પર્વતના મુખારવિંદની પૂજા કરી દિવ્ય ઉત્સવની ઉજવણી કરવામાં આવી. આ ઉત્સવમાં દ્વારકેશલાલજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત  મોટી સંખ્યામાં ભક્તો પણ ગોવર્ધન પૂજામાં જોડાયા હતા.

(9:27 pm IST)