Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

ભરૂચના ભઠીયારવાડના બંધ મકાનમાં આગ ભભુકતા અફરાતફરી

બંધ મકાનમાં આગથી આસપાસના રહીશો અને દુકાનદારોના જીવ તાળવે ચોંટ્યા : ફાયર બ્રિગેડે આગ બુઝાવતા હાશકારો

ભરૂચના પશ્ચિમ વિસ્તારના ભઠિયારવાડમાં એક બંધ મકાનમાં આગ ભભૂકતા  અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, ફાયર ફાઇટરોએ  આગ ઉપર કાબુ મેળવતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.

  આ અંગેની વિગત મુજબ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ભઠિયારવાડમાં એક બંધ મકાનમાં એકા એક આગ ભભૂકતા ધૂમાડાના ગોટે ગોટા નિકળયા હતા. જોત જોતામાં આગ લાગ્યાની વાત વાયુ વેગ પ્રસરતા આ વિસ્તારના રહીશોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના પગલે આસપાસના રહિશો તેમજ દુકાન ધારકોના જીવ ટાળવે ચોંટ્યા હતા

  .ઘટનાના પગલે લોક ટોળા એકત્રીત થવા પામ્યા હતા. આગ લાગ્યાની જાણ ભરૂચ પાલિકાના ફાયર વિભાગને કરાતા તુરંત ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી ગય હતા અને ગનતીના કલાકોમાં લાગેલ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી. આગ ઓલવાઇ અને કોઇ જાન હાની ન નોંધાતા સૌએ નિરાંતનો શ્વાશ લીધો હતો.જો કે આ આગ કેવી રીતે લાગી તે હજુ જાણી શકાયું નથી.

(8:34 pm IST)