Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

રાજ્યમાં કોરોના થાક્યો : નવા 22 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 19 દર્દીઓ સ્વસ્થ થયા : આજે એકપણ મૃત્યુ નહીં : કુલ મૃત્યુઆંક 10.086 : કુલ 8.15.909 લોકોએ કોરોનાને હરાવ્યો:આજે વધુ 3.11.145 લોકોનું રસીકરણ કરાયું

સુરત અને વલસાડમાં 5-5 કેસ, અમદાવાદ અને નવસારીમાં 3-3 કેસ, કચ્છમાં 2 કેસ, ગાંધીનગર, ખેડા, રાજકોટ અને વડોદરામાં 1-1 કેસ નોંધાયો : હાલમાં 189 એક્ટીવ કેસ : જિલ્લા શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં છે આજે નવા 22 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે આજે વધુ 19 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 22 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 19 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.15.909 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં  કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.086 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 98.76 ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 3.11.145 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 6.57.12.208 લોકોનું રસીકરણ  સંપન્ન થયું છે

   રાજ્યમાં હાલ 189 એક્ટિવ કેસ છે, જેમાંથી 5 લોકો વેન્ટિલેટર પર અને 184 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8.15.909  ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી એકપણ  દર્દીનું મૃત્યુ થયું નથી રાજયમાં કુલ મૃત્યુઆંક 10.086 થયો છે

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 22 કેસમાં સુરત અને વલસાડમાં 5-5 કેસ, અમદાવાદ અને નવસારીમાં 3-3 કેસ, કચ્છમાં 2 કેસ, ગાંધીનગર, ખેડા, રાજકોટ અને વડોદરામાં 1-1 કેસ નોંધાયો છે

(9:23 pm IST)