Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે તંત્રની તૈયારી શહેરમાં ૬૦ જેટલા સ્થળોએ કૃત્રિમ કુંડ તૈયાર કરાયા

તંત્રએ પ્રતિમા વિસર્જિત કરવા ક્રેઇનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી

અમદાવાદ,તા.૧૨: ગણેશ ચતુર્થીથી ૧૦ દિવસ સુધી દૂંદાળા દેવની ભાવ આજે ગણેશ વિસર્જન કરવામાં આવશે. અમદાવાદમાં હજારોની સંખ્યામાં સ્થાપિત કરાયેલી પ્રતિમા વિસર્જીત કરાશે. ગણેશ વિસર્જનને લઇને તંત્રએ સદ્યન તૈયારી કરી છે. તો સમગ્ર શહેરમાં તંત્ર દ્વારા કુલ ૬૦ જેટલા સ્થળોએ કુંડ તૈયાર કર્યા છે તો તંત્રએ પ્રતિમા વિસર્જિત કરવા ક્રેઇનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે જો કે આ વર્ષે તંત્ર દ્વારા ગણેશ મંડળોને નદીમાં પ્રતિમા વિસર્જિત નહીં કરવા દેવામાં આવે.

(3:58 pm IST)