Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

આઝાદીના અમૃત મહોત્સવ પર હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિરમગામમાં સાયકલ યાત્રા

ભારત માતાના જય ઘોષ સાથે વિરમગામના જાહેર માર્ગો પર તિરંગા સાથે સાયકલ યાત્રા નીકળી

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : આઝાદીના અમૃત મહોત્સવ પર હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત શુક્રવારે સવારે વિરમગામમાં સાયકલ યાત્રા કાઢવામાં આવી હતી. ટાવર ચોક વિરમગામ ખાતેથી તિરંગા સાથે સાયકલ યાત્રા પ્રસ્થાન કરી ગોલવાડ દરવાજા, બસ સ્ટેન્ડ, ગોળપીઠા, સેવાસદન થઈ એપીએમસી માર્કેટ ખાતે સમાપ્ત થઈ હતી. દિવ્ય જ્યોત હાઇસ્કુલ અને નગરપાલિકા દ્વારા આયોજિત સાયકલ યાત્રામાં વિરમગામ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કાઉન્સિલરો, વિરમગામ શહેર, તાલુકા અને જિલ્લા ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ, વિરમગામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યો, દિવ્યજ્યોત હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, હોમગાર્ડના જવાનો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સાયકલ યાત્રાના રૂટ પર દરેક હાથમાં તિરંગા જોવા મળ્યા અને ભારત માતાકી જયનો નાદ સતત સાંભળવા મળ્યો હતો. વિરમગામના નગરજનો દેશભક્તિના રંગે રંગાઈ ગયા હતા.

(6:51 pm IST)