Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

ડભોઇમાં શ્રાવણ માસ નિમિતે કાવડયાત્રા :શિવાલયોમાં નર્મદાના જળનો અભિષેક કરાયો


વડોદરા જિલ્લાના ડભોઇ શહેરમાં નાંદોદી ભાગોળ ખાતે આવેલ શ્રી હરીહર આશ્રમના મહંત પૂ. વિજય મહારાજના નેતૃત્વમાં છેલ્લા ૧૦ વર્ષોથી પવિત્ર શ્રાવણ માસ નિમિતે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે.
   ચાંદોદ ગામે ખળખળ વહેતી નર્મદા નદીના જળ કાવળમાં ભરી શ્રધ્ધાળુઓ ડભોઇ નગરના વિવિધ માર્ગો ઉપર નીકળ્યા હતા. શ્રાવણ માસના બીજા સોમવારે આ કાવળ યાત્રા ડભોઇ નગરના વાઘનાથ, પંચેશ્વર શિવાલય સહિતના શિવાલયોમાં નર્મદાના જળનો અભિષેક કરી શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથ દરેકની મનોકામનાઓ પૂર્ણ કરે અને દેશ પર આવતી વિપદાઓથી દૂર રાખે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી

(9:30 pm IST)