Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

રાજપીપળા કાછીયા વાડમાં રહેતા નિવૃત ના.મામલતદાર અને તેમના પત્ની કોરોના પોઝીટીવ આવ્યા બાદ પત્નીનું મોત

જોકે પત્ની નું કોરોના ના કારણે નહિ બલ્કે ડાયાબીટીસથી મોત થયું: આરોગ્ય વિભાગ દ્વારા વડોદરા ખાતે જ મૃતકની અંતિમ વિધિ કરાઈ : ચાર પાંચ સગા સબંધીઓ ની જ હાજરી રહી.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા કાછીયા વાડના દંપતી કોરોના પોઝીટીવ આવ્યા બાદ વડોદરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા જ્યાં પત્નીનું મોત થયું હતું.જોકે આ મહિલાનું કોરોનામાં નહિ પરંતુ ડાયાબીટીસના કારણે મોત થયાનું આરોગ્ય વિભાગ નું કહેવું છે,

 

મળતી માહિતી અનુસાર રાજપીપળા કાછીયા વાડ માં રહેતા નિવૃત ના.મામલતદાર નગીનભાઈ પટેલ અને તેમના પત્ની ઉષાબેન કોરોના પોઝીટીવ આવતાજ વડોદરા ખાતે સારવાર હેઠળ હતા જ્યાં ઉષાબેન પટેલ (ઉં.વ.૬૧) નું મોત નિપજ્યું હતું. ઉષાબેન નું ડાયાબીટીસ ના કારણે મોત થયું હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જાણવા મળ્યું છે.જોકે આ દંપતી વડોદરા માં દાખલ હોય તેમની નર્મદા જિલ્લા માં ગણતરી ન થાય એમ પણ આરોગ્ય વિભાગ દ્વારા જાણવા મળ્યું હતું.
પરિવારજનોને રાજપીપળા ખાતે તેમના મોતની જાણ કરાતા ચાર પાંચ સગા વડોદરા ખાતે દોડી ગયાં હતાં.ત્યાં નીતિનિયમોનુસાર આરોગ્ય વિભાગ દ્વારા જ મૃતક ના અંતિમ સંસ્કાર વડોદરા ખાતે જ કરવામાં આવ્યા હતા. પૂર્વ નાયબ મામલતદાર નગીનભાઈ હજી પણ વડોદરા ખાતેના દવાખાનામાં સારવાર હેઠળ છે.આમ રાજપીપળા ના સ્થાનિક રહીશનુ વડોદરા ખાતે કોરોનાની મહામારીમા બાદ મોત નીપજતા રાજપીપળા ખાતે શોક ની લાગણી ફેલાઈ હતી.

(5:56 pm IST)