-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
સુરતના ઉન રોડ કખતે બાઇકચાલકે વૃદ્ધને ટક્કર મારતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બંનેના ગંભીર ઇજાથી મોત
સુરત : ઉન રોડ પર બુધવારે રાત્રે બાઈકચાલકે વૃદ્ધને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર ઇજા થતા યુવાન બાઈક ચાલક અને વૃદ્ધનું મોત નીપજ્યું હતું. નવી સિવિલથી મળેલી વિગત મુજબ ઉન પાટીયા ખાતે જલારામ નગરમાં રહેતો 20 વર્ષીય મોહમ્મદ રિઝવાન મકરાણી બુધવારે રાત્રે પાંડેસરાના ગોલ્ડન આવાસમાં રહેતા મિત્રને મૂકીને બાઈક પર ઘરે જવા નીકળ્યો હતો. તે સમયે ઉન નાકા ગોલ્ડન આવાસ બીઆરટીએસ સ્ટેશન પાસેથી પસાર થતા યુસુફ અમીર સૈયદ (ઉં- વ -66 રહે કિસ્મત નગર, લાજપોર, સચિન)ને બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બંનેને ગંભીર ઈજા થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડોક્ટરે બન્નેને મૃત જાહેર કર્યા હતા. નોંધનીય છે કે યુસુફ સૈયદને સંતાનમાં બે પુત્રી અને પુત્ર છે. તે ઉન વિસ્તાર બીઆરટીએસ સ્ટેશન પર વોચમેન તરીકે ફરજ બજાવતા હતા. જ્યારે રિઝવવાનો એક ભાઈ અને બે બહેન છે. તે ટેમ્પો ચલાવી પારિવારને મદદરૂપ થતો હતો. આ અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે.