Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

ઝાયડસ કેડિલાની વિરાફીનની કિંમત જાહેરઃ એક ડોઝના ૧૧,૯૫૫ રૂપિયાઃ માત્ર સાત જ દિવસમાં RTPCR નેગેટિવ આવતો હોવાનો દાવોઃ ઓકિસજનની પણ જરૂર નહીં

અમદાવાદ, તા.૧૨: કેડિલાની કોરોના સામે હથિયાર મનાતી વિરાફીનની કિંમત જાહેર કરાઈ છે એક ડોઝના ૧૧,૯૫૫ રૂપિયા જાહેર કરાયા છે વિરાફીન માત્ર સાત દિવસમાં RTPCR નેગેટિવ આવતો હોવાનો દાવો કરાયો છે.

આ અગાઉ મહામારીમાં કોરોનાની સારવારની દવાના સંશોધનને લઇને અમદાવાદની કંપની ઝાયડસ કેડિલાને વધુ એક સફળતા મળી છે. કંપનીએ કોવિડ-૧૯ની સારવારમાં ઉપયોગી એવા દવા-ઇન્જેકશન વિરાફીન બનાવી છે. અને આ દવાને ભારત સરકારના ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા-ડીજીસીઆઇ દ્વારા મંજુરી આપવામાં આવી છે.

ઝાયડસ કેડિલા કંપનીએ તેની સંશોધિત નવી દવા વિરાફીન અગે દાવો કર્યો છે કે, આ ઇંજેકશનના ઉપયોગથી સાત દિવસમાં ૯૧.૧૬ ટકા કોરોના અસરગ્રસ્ત દર્દીઓના આરટીપીસીઆર ટેસ્ટ નેગેટીવ આવ્યા છે. આ એંટીવાયરલ ડ્રગના ઉપયોગથી દર્દી કોરોનાથી રાહત મેળવાની સામે તેની સામે લડવાની તાકાત મેળવે છે. કંપની એમ પણ જણાવી રહી છે કે, કોરોના થવાના શરુઆતના જ લક્ષણમાં જો વિરાફીન દવા આપવામાં આવે છે, તે કોરોનામાંથી બહાર આવવા સાથે તેમને પડતી મુશ્કેલીઓ ઓછી થાય છે.

(11:39 am IST)