Gujarati News

Gujarati News

News of Sunday, 12th May 2019

ભિલોડાના નવા ભવનાથમાં ચાર દીકરીઓએ આપી પિતાને કાંધ : અગ્નિદાહ આપતા સૌકોઈ ભાવુક થયા

ભિલોડાના ભવનાથ નજીક અવસાન પામેલા પિતાને ચાર દીકરીઓએ કાંધ આપી સમાજ જીવન માટે પ્રેરણા રૂપ બની છે.

અરવલ્લી જિલ્લાના ભિલોડાના નવા ભવનાથ ખાતે રાવલ ભવાનીશંકરનું ૮૬ વર્ષની વયે દુ:ખદ અવસાન થયું હતું. તેમને ચાર દીકરીઓ જ હતી એવામાં પિતાને કાંધ આપવા માટે ચારેય દીકરીઓએ નક્કી કર્યું અને કાંધ આપી સ્મશાન યાત્રામાં જોડાઇ હતી. ભવાનીશંકરને દિકરો ન હોવાથી ચાર દીકરીઓએ દિકરાની ફરજ નિભાવી હતી. ચારેય દીકરીઓએ પિતાને અગ્નિદાહ આપતા સૌકોઇ ભાવુક થયા હતાં.

(5:56 pm IST)