Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

જમીનની તકરારને લઈને અંધેજના વેપારીને સાત શખ્સોએ આંતરી મારઝૂડ કરતા ચકચાર

નડિયાદ:તાલુકાના અંધેજના વેપારી બાઈક લઈને જતો હતો ત્યારે સાત જેટલા ઈસમોએ વેપારીને આંતરી મારઝુડ કર્યાના બનાવે ભારે ચકચાર મચાવી છે.
મળેલ બાતમી મુજબ નડિયાદ તાલુકાના અંધેજ ભાથીજી મંદિર નજીક રહેતા મનુભાઈ નટવરભાઈ પરમાર અનાજ કરીયાણાની દુકાન ધરાવે છે. મનુભાઈ આજે બપોરે મોટર સાયકલ લઈ નડિયાદમાં દુકાનની માલ-સામગ્રી ખરીદી કરવા આવ્યા હતાં. ખરીદી કર્યા બાદ નડિયાદની પરત અંધેજ જઈ રહ્યા હતા ત્યારે અરેરા નજીક શેઢી નદીના પુલ ઉપર ગાડીમાં આવેલા સાત જેટલા ઈસમોએ મનુભાઈ પરમાર ઉપર હુમલો કરી ગડદાપાટુ માર માર્યો હતો. જમીનના ઝઘડાની અદાવત રાખી ભાનાભાઈ ભરવાડે તેના સાગરીતો સાથે મળી વેપારી ઉપર હુમલો કર્યાના બનાવના પગલે ગ્રામજનો રોષે ભરાયા હતાં. આ બનાવની જાણ થતા નડિયાદ રૂર

લ પોલીસ દોડી ગઈ હતી. આ બનાવ અંગે નડિયાદ રૂરલ પોલીસે ફરિયાદ નોંધી તજવીજ હાથ ધરી છે.
 

(6:24 pm IST)