Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

ધોળા દિવસે સરીગામમાં જવેલર્સને ત્યાં લૂંટ ચલાવનાર ત્રણ પૈકી બેની ધરપકડ

ભિલાડ: સરીગામમાં સોનાચાંદીની દુકાનમાં લૂંટારાઓએ ધોળા દિવસે ઘાતક હથિયારો સાથે લૂંટ ચલાની ત્રણ ઇસમોને ઘાયલ કરી ભાગી છૂટ્યા હતા આ ચકચારી લૂંટ પ્રકરણમાં વલસાડ પોલીસે લૂંટારાઓને ઝડપી પાડી લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો છે.

આ અંગે વિગતે વાત કરીએ તો ૬ઠ્ઠી ફેબ્રુઆરીએ બપોરે સાડા ત્રણેક વાગ્યાના સુમારે ભીલાડ સરીગામ મેઈન બજારમાં પૂજા જ્વેલર્સ નામની સોની કામની દુકાન આવેલી છે. સોના ચાંદીના દાગીનાનો વેપાર કરતા નારાયણલાલ તેજારામ કુંભારની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં બે ઇસમો આવ્યા હતા. તેમણે થેલામાં રાખેલા ચપ્પૂ તથા મોટો છરો કાઢીને ધમકીઓ આપી હતી કે ચુપચાપ માલ નીકાલકે દે દેજેથી દુકાનમાં શૉ કેસમાં રાખેલા સોના ચાંદીના દાગીના તેઓને આપી દેતા થેલામાં મૂકી દુકાનની બહાર જતા હતા. ત્યાર બાદ નારાયણ લાલે બૂમ પાડતા ઇસમે છરો મારી હાથે ઈજા કરી હતી. લૂટારા નાસવા લાગતા બૂમાબૂમ કરતા રાહદારીઓ તથા આજુબાજુનાં દૂકાનવાળાઓ ભેગા થઇ જતા તેમાના બે લોકોને પણ છરીના ઘા મારી ફરાર થઇ ગયા હતા.

આ ચકચારી લૂંટ અંગે પોલીસે ટીમો બનાવી મહારાષ્ટ્રનાં મુંબઈ તથા પનવેલમાં જુદી જુદી જગ્યાઓએ ખાનગી વોચ રાખી ઉપરોક્ત બન્ને આરોપીઓને ઝડપી લીધા હતા. આરોપીઓના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(5:27 pm IST)