Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

અમદાવાદ-ઇન્દોર હાઇવે પર બે બાઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત

અમદાવાદ:અમદાવાદ-ઈન્દોર હાઈવે ઉપર ખોખરવાડા પાટિયા નજીક આજે બપોરે બે મોટર સાયકલો અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રોન્ગ સાઈડે આવતા બાઈક ચાલકનું ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ તાલુકાના ભૂમેલમાં રહેતા ભાનુભાઈ બબુભાઈ પરમાર મોટરસાયકલ નં. જીજે-૯, સીજી-૫૬૯૬ લઈ ધોધાવાડીમાં રહેતા કેતનભાઈ પરમાર સંબંધીના ઘરે ગયા હતાં. જ્યાંથી બપોરે સવા બાર વાગ્યાના સુમારે મોટર સાયકલ લઈ પરત આવવા નીકળ્યા હતાં. આ દરમ્યાન ખોખરવાડા નજીક ભાનુભાઈ પરમાર હાઈવેની રોન્ગ સાઈડે હંકારતા મોટર સાયકલ સામેથી આવતી બાઈક નં. જીજે ૨૦ એમ ૬૦૦૨ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેથી બાઈક ચાલક ભાનુભાઈ પરમાર (ઉ. ૪૯ વર્ષ) ફંગોળાઈ જતા માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરું ઊડી ગયું હતું.
આ બનાવ અંગે કેતનભાઈ પ્રતાપભાઈ પરમારની ફરિયાદ આધારે કઠલાલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:25 pm IST)