Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

સીગારેટના ધંધામાં નિયમ ભંગ બદલ ધૂમાડા કાઢતું તોલમાપ તંત્રઃ ૮પ દુકાનોમાં દરોડા

રાજકોટ તા. ૧રઃ ગુજરાત રાજયમાં દાણચોરીથી પાન પાર્લરમાં સીગારેટ/ઇમ્પોર્ટેડ સીગારેટ ઉપર ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ સ્વાસ્થ્યને લગતી યોગ્ય ચેતવણી વગર તેમજ એમ.આર.પી. કરતા વધુ ભાવમાં વેચવામાં આવતી સીગારેટ તથા તમાકુ અને તેની પ્રોડકટ માટે મળેલ ફરિયાદોને ધ્યાને લઇ મંત્રી નરેશભાઇ પટેલ, અન્ન અને નાગરિક પુરવઠા અને રાજય કક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, અન્ન નાગરિક પુરવઠાની સુચના અન્વયે સચિવ અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રા. બા. વિભાગ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ નિયંત્રકશ્રી, કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક સુરક્ષા, ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા પ્રથમ વખત તોલમાપ કાયદા/નિયમોના ભંગ સબબ ઓચિંતી તપાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી.

સમગ્ર રાજયમાં દરોડા પાડી આશરે ૮પ જેટલા પાન પાર્લર તથા તમાકુ પ્રોડકટના હોલસેલર ઉપર પેકેટ ઉપર જરૂરી નિર્દેશનો ન કરવા, એમ.આર.પી. કરતા વધુ ભાવ લેવા, એમ.આર.પી. ઉપર ચેકચાક કરી વેચાણ કરતા તેમજ અન્ય નિયમોનાં ઉલ્લંઘન બદલ કાયદેસરની કાર્યવાહી કરી મુદ્દામાલ જપ્ત કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.

(12:07 pm IST)