Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

કપડવંજમાં જુના મકાનની દીવાલ ધસી પડતા બેના મોત

કપડવંજ: શહેરના મહંમદ મુરાદના ખાંચામાં જૂના મકાનનું રીપેરીંગ ચાલી રહ્યું હતું. આ દરમ્યાન જૂની માટીની દીવાલ બાજુના મકાન પાસે ધસી પડ્યું. જેથી લ-મણભાઈ ઉર્ફે લખો શનાભાઈ પરમાર (ઉં. વર્ષ ૪૫) તથા અજીતભાઈ ઈશ્વરભાઈ ભોઈ (ઉ.વ. ૨૯) બંને રહેવાસી ઘરોડ)નું દબાઈ જતાં મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે કપડવંજ ટાઉન પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

(2:24 pm IST)