Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

અમદાવાદ જીલ્લાની પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે જીલ્લા વહિવટી તંત્ર દ્વારા 25મીએ જીલ્લા સ્‍વાગત કાર્યક્રમનું આયોજન

અરજદારોને તેમના પ્રશ્નો 15મી સુધીમાં જીલ્લા કલેકટર કચેરીમાં મોકલી આપવા અપીલ

ગાંધીનગર: અમદાવાદ જિલ્લાની પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 25 નવેમ્બર,2021ના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લા વહીવટીતંત્રએ અરજદારોને તેમના પ્રશ્નો-ફરિયાદો 15 નવેમ્બર, 2021 સુધીમાં જિલ્લા કલેક્ટરને મોકલી આપવાનો અનુરોધ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લોક સુખાકારીમાં વૃદ્ધિ માટે તેમજ લોક ફરિયાદોના સમયસર નિરાકરણ માટે જિલ્લા કક્ષાએ દર માસના ચોથા ગુરૂવારે જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

જેના ભાગરૂપે જ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 25 નવેમ્બર,2021ના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

(5:17 pm IST)