Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

ગાંધીનગર ખાતે આદિવાસી જનનાયક 'બિરસા મુંડા'ની પ્રતિમાનું લોકાર્પણ કરતાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ : કેન્દ્રીય વન-પર્યાવરણ રાજ્યમંત્રી અશ્વિનીકુમાર ચૌબેની પ્રેરક ઉપસ્થિતિ

રાજકોટ તા.૧૧આદિવાસી જનનાયક ‘બિરસા મુંડા’ની ભવ્ય પ્રતિમાનું બિરસા મુંડા ભવન, સેકટર-10, ગાંધીનગર ખાતે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલના હસ્તે તેમજ કેન્દ્રીય વન-પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી અશ્વિની કુમાર ચૌબે અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શ્રી નિમિષાબેન સુથારની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 

આ લોકાર્પણ પ્રસંગે ઉચ્ચ અને તકનીકી શિક્ષણ રાજ્યમંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર, કુટિર ઉદ્યોગ-સહકાર મંત્રી શ્રી જગદિશભાઈ પંચાલ, કલ્પસર-મત્સ્યોદ્યોગ રાજ્ય મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી, ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયા, ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, આદિજાતિ વિકાસ વિભાગના સચિવ શ્રી ડૉ. એસ. મુરલીક્રિષ્ના, આદિજાતિ વિકાસ કમિશનર શ્રી દિલીપ રાણા સહિત ઉચ્ચ અધિકારી-કર્મયોગીઓ ઉપસ્થિત રહી પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હતા.  

(3:00 pm IST)