Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

ધારાસભ્યદળની બેઠકમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીનું સૂચક નિવેદન : કહ્યું -હવે પદ નહિ, પ્રતિષ્ઠા માટે લડીશું

ધાનાણીએ કહ્યું કે,રઘુ શર્મા મંત્રીપદ દાવ પર લગાવી શકે તો અમે કેમ નહી ? : પ્રભારીએ મંત્રી પદ મુકી સંગઠન પસંદ કર્યું

અમદાવાદ :  ગુજરાત કોંગ્રેસનાં ધારાસભ્ય દળની એક બેઠક આજે મળી હતી.આ બેઠક નવા નિયુક્ત થયેલા પ્રભારી ડો.રઘુ શર્માની અધ્યક્ષતામાં મળી હતી.

ગુજરાત કોન્ગ્રેસના ધારાસભ્ય દળની બેઠક બાદ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે,રઘુ શર્મા મંત્રીપદ દાવ પર લગાવી શકે તો અમે કેમ નહી? આમ કહી,પરેશ ધાનાણીએ વિપક્ષ નેતા તરીકે હવે આગળ કાર્યભાર વહન નહીં કરવાના સંકેત આપી દીધા છે. ધાનાણીએ ઉમેર્યું કે, પ્રભારીએ મંત્રી પદ મુકી સંગઠન પસંદ કર્યું છે.રઘુ શર્મા જો સરકારમાં પદ છોડી શકતા હોય તો અમે એક કાર્યકર્તા છીએ. હવે પદ માટે નહી પરંતુ પ્રતિષ્ઠા માટે લડીશું તેમ કહેતા ધાનાણીએ તમામ સમાજ સાથે આગળ રાખી નવી જવાબદારી મળશે તે નિભાવવા પ્રતિબદ્ધતા દાખવી હતી

(9:13 pm IST)