Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

અમદાવાદના મણીનગર રીક્ષા પર ધટાદાર વૃક્ષ પડતા રીક્ષા ચાલકનું ઘટના સ્‍થળે જ કરૂણ મૃત્‍યુ

/અમદાવાદ :અહીંના મણિનગર વિસ્તારમાં આજે જવાહર રોડ ચાર રસ્તા પાસે એક તોતીંગ વૃક્ષ રીક્ષા પર પડવાનીલ ગોઝારી ઘટનામાં રીક્ષા ચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયાનું બહાર આવેલ છે.

અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક અજીબ ઘટના બની હતી. મણિનગર જવાહર ચોક ચાર રસ્તા પર આવેલ વિશાળ લીમડાનું વૃક્ષ તૂટી પડ્યું હતું. લીમડાનું વિશાળ વૃક્ષ રોડ પરથી પસાર થઈ રહેલા રીક્ષા પર પડ્યું હતું. આ ઘટનામાં રીક્ષા ચાલકનું મોત નિપજ્યું હતું. અન્ય બે લોકો ઈજાગ્રસ્ત પણ બન્યા હતા. આ ઘટના બાદ પોલીસે મણિનગર જતો રસ્તો બંધ કરાવ્યો હતો. ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ઝાડ નીચે દબાયેલ રિક્ષામાંથી મૃતદેહ બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી.

(4:01 pm IST)