Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

સુરત-અમદાવાદની ફાર્મા કંપની સહિત ૭ સામે ગુનો

કોરોના વચ્ચે ઈન્જેક્શનની કાળાબજારી સામે આવી : વેસુની મે. સાર્થક ફાર્મા અને અડાજણના મેસર્સ ન્યુ શાંતિ મેડિસીન, અમદાવાદના ચાર સહિત ૭ વિરુદ્ધ ગુનો દાખલ

સુરત, તા. ૧૧ : કોરોના દર્દીને સારવાર દરમિયાન ઓક્સિજનની કમી પડે ત્યારે એક ઈન્જેક્શન આપવામાં આવતું હોય છે. જેની  કાળાબજારી કરવામાં આવતી હોવાનું તંત્રના ધ્યાન પર આવતા મામલે તપાસ શરૂ કરી સમગ્ર કૌભાંડ બહાર લેવામાં આવ્યુ હતું. જોકે ટોસીલીઝુમાબ ઈન્જેકશનના મુદ્દે ચાલી રહેલા વિવાદ અંતર્ગત ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ઈન્જેકશનના કાળા બજાર થતા હોવાના કૌભાંડને ઝડપી પાડી વેસુની મે. સાર્થક ફાર્મા અને અડાજણના મે. ન્યુ શાંતિ મેડિસીન અને અમદાવાદના ચાર સહિત વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ ધારા, ઔષધ અને સૌદર્ય પ્રસાધન તથા વિશ્વાસઘાતની ફરિયાદ સુરતના ઉમરા પોલીસ મથકે નોંધવામાં આવતા પોલીસે હવે મામલે ગુનો દાખલ કરી આરોપીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

           કોરોનાની મહામારી વચ્ચે દર્દીને જરૂરી એવા ઈન્જેક્શનની કાળા બજારી મોટા પ્રમાણ કરવામાં આવતી હોવાની વિગત તંત્ર અને સરકરને મળતા મામેલે સરકારનું ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દરોડા પાડીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કૌભાંડના તાર સુરતથી લઈને એમદાવાદ સુધી ફેલાયા હોવાને કારણે  ફુડ એન્ડ ડ્રગ વિભાગે બાતમીના આધારે ડુપ્લીકેટ ગ્રાહકને ડોકટરના પ્રિસ્ક્રીપ્શનના આધારે વેસુ સ્થિત મે. સાર્થક ફાર્મામાં કોરોના વાયરસ સંક્રમિત અને અત્યંત નાજુક હાલતમાં હોય તેવા દર્દીઓ માટે અત્યંત જરૂરી ટોસીલીઝુમાબ ઈન્જેકશન ખરીદવા મોકલ્યો હતો. સાર્થક ફાર્માએ છૂટક વેચાણનો પરવાનો નહિ હોવા છતા એમઆરપી રૂ. ૪૦,૫૪૫ હોવા છતા રૂ. ૫૭,૦૦૦માં બિલ વગર ઈન્જેકશનનું વેચાણ કર્યુ હતું.

           જેથી ફુડ એન્ડ ડ્રગની ટીમે સાર્થક ફાર્મામાં દરોડા પાડી વધુ ઈન્જેકશન કબ્જે લીધા હતા અને તપાસ હાથ ધરી હતી. જે અંતર્ગત સાર્થક ફાર્માના ઉમા જરીવાલાની પૂછપરછ કરતા ઈન્જેકશન પાલ ગેલેક્ષી સર્કલ નજીક ગેલેક્ષી એન્કલેવમાં દુકાન નં. યુજી ૧૦માં ન્યૂ શાંતિ મેડિસીનમાંથી એક વાયલના રૂ. ૫૦,૦૦૦ રોકડા આપી ખરીદી કર્યાની કબુલાત કરી હતી. જેથી ડ્રગ વિભાગની ટીમે ન્યૂ શાંતિ મેડિસીના મિતુલ શાહની પુછપરછ કરતા સાર્થક ફાર્માને એક વાયલ પેટે રૂ. ૫૦,૦૦૦નો ભાવ નક્કી કરી ઈન્જેકશન રૂ. ,૫૦,૦૦૦માં રોકડેથી વેચાણ કર્યા હતા. ઈન્જેકશન મિતુલ શાહે અમદાવાદની મે. કે.બી.વી. ફાર્મા એજન્સીના અમિત મંછારામણી પાસેથી ખરીદી હતી અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના કર્મચારી ઘનશ્યામ વ્યાસના બેંક એકાઉન્ટમાં રોકડ જમા કરાવી હતી.

            ઉપરાંત સાર્થક ફાર્માના ઉમાબેનના અમદાવાદ ખાતે રહેતા સંબંધી અભિષેક અને અમદાવાદની ધ્રૃવિ ડિસ્ટ્રીબ્યુટર્સના ભાવેશ સોલંકી અને મુંબઈના ભાવેશ નામની વ્યક્તિની પણ સંડોવણી બહાર આવી હતી. કોરોના મહામારી દરમ્યાન સક્રમિત દર્દીઓની સારવાર માટે અત્યંત જરૂરી ઈન્જકેશનના કાફ્રા બજાર કરનાર ઉપરોક્ત તમામ વિરુદ્ધ ઔષધ નિરીક્ષક મહેશ મનજી ઈટાલીયાએ તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જોકે ઉમર પોલીસ મથકમાં ફરિયાદ નોંધતાની સાથે પોલીસે આરોપીની ધરપકડ કરી આગળ કૌભાંડમાં કોણ કોણ સંડોવાયેવા છે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

સુરતના નાનપુરા બહુમાળી ભવન સ્થિત ફૂડ એન્ડ ડ્રગ વિભાગે નીચે દર્શાવેલા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે

()       વેસુની મે. સાર્ર્થક ફાર્માના ઉમાબેન સાકેત જરીવાલા (રહે. બી-૪૦૧, નંદનવન , આગમ શોપીંગ વર્લ્ડ, વેસુ)

()       અડાજણની ન્યુ શાંતિ મેડિસીનના મિતુલ મહેન્દ્ર શાહ (રહે. વાત્સલ્ય હાઈટ્સ, ગ્રીન એવેન્યુની સામે, અડાજણ)

()       અમદાવાદની મે. કે.બી.વી. ફાર્મા એજન્સીના અમિત મંછારામણી (રહે. ડી-૩૦૧, ઓઝોનસીટી નરોડા, અમદાવાદ)

()       અમદાવાદ સિવિલ હોસ્પિટલના કર્મચારી ઘનશ્યામ અનિરુદ્ધ વ્યાસ (રહે. બી-૨૦૨ ગોવર્ધન એપાર્ટમેન્ટ, નવા નરોડા, અમદાવાદ)

()       અમદાવાદની ધ્રૃવિ ડિસ્ટ્રીબ્યુટર્સના ભાવેશ સોલંકી (રહે. ડી-૨૧૨, રાધે ગોવિંદ સોસાયટી, નવા નરોડા, અમદાવાદ)

()       અભિષેક (રહે. ગ્રીન એંકર સોસાયટી, પ્રહલાદ નગર, અમદાવાદ

()       ભાવેશ (રહે. મુંબઈ)

(7:29 pm IST)