Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

અમદાવાદના મોટેરામાં પુરપાટ ઝડપે જતા ટ્રેક્ટરે ચાર વર્ષના બાળકનો ભોગ લીધો

અમદાવાદ:મોટેરામાં પુરપાટ ઝડપે જઈ રહેલા ટ્રેકટરે એક ચાર વર્ષના બાળકને અડફેટે લેતા ગંભીર ઈજાને કારણે તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. બનાવ બાદ ટ્રેકટરનો ચાલક ફરાર થઈ ગયો હતો. ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ મૂળ દાહોદના રહેવાસી રાજુભાઈ વાલજીભાઈ ભાંભોર (૩૦) ચાંદખેડામાં વિસત પાસે કાચા છાપરામાં રહે છે અને છુટક મજુરી કરે છે.

૯ મેના રોજ રાજુભાઈ તેમની પત્ની અને અન્ય મજુરો સાથે ચાંદખેડામાં મણીલાલ પાર્ટી પ્લોટની સામે ખુલ્લી જગ્યામાં મજુરી કામ કરી રહ્યા હતા. તે સમયે રાજુભાઈનો પુત્ર રોહિત (૪ વર્ષ) કામની જગ્યાથી થોડે દુર રમી રહ્યો હતો.

(5:01 pm IST)