Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

અમદાવાદનું નામ બદલવા કોઈ જ પ્રસ્તાવ થયો નથી :હાઇકોર્ટે કર્યો જાહેરહિતની અરજીનો નિકાલ

નામ બદલવાની વાતો માત્ર હવામાં જ અધ્ધરતાલ હતી

 

અમદાવાદઃ અમદાવાદનું નામ બદલવાનો કોઈ પ્રસ્તાવ થયો નથી નામ બદલવાની વાતો માત્ર હવામાં હતી રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવા બાબતે આપેલા નિવેદન બાદ અમદાવાદનું નામ બદલવા મુદ્દે દાખલ થયેલી જાહેર હિતની અરજીનો હાઇકોર્ટે નિકાલ કર્યો છે.

  પહેલા અમદાવાદનું નામ કર્ણાવતી કરવા અંગે કોઈ પ્રસ્તાવ રજૂ કરાયો છે કે કેમ તેની તપાસ કરવા હાઈકોર્ટે અરજદારને આદેશ આપ્યો હતો. અરજદારે અંગેની RTI થકી માહિતી મેળવ્યા બાદ હાઇકોર્ટમાં જવાબ રજૂ કર્યું હતું કે, અંગે સંબંધિત મંત્રાલય દ્વારા કોઈ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો નથી. જેથી જાહેર હિતની અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો.

અરજદારે અમદાવાદ શહેરના નામને ઇન્ટેનજીબલ જાહેર કરવા રજૂઆત કરી હતી. જે અંગે હાઇકોર્ટે યોગ્ય પગલાં લેવાની અરજદારને ભલામણ કરી હતી. અરજદારે અંગેની પ્રકિયા પણ શરૂ કરી દીધી હતી. અરજદારે હેરિટેજ અને સાંસ્કૃતિક વિભાગમાં અંગેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ભવિષ્યમાં અમદાવાદના નામકરણ અથવા તેનું નામ બદલવા અંગે પ્રસ્તાવ રજૂ થાય ત્યારે અરજદાર મામલે રજૂઆત કરી શકે એવો હાઇકોર્ટે અવલોકન કર્યું હતું.

(1:05 am IST)